વાંકાનેર તાલુકા ગોપાલક સમિતિ દ્વારા શનિવારે સમૂહ લગ્નોત્સવ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા મચ્છુ માતાના મંદિરે આગામી તા. 1 ફેબ્રુઆરી શનિવારે ભરવાડ સમાજના દસમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 53 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ તકે સવારે 6 કલાકે જાન આગમન તથા સવારે 9-15 કલાકે હસ્તમેળાપ સહીતની શાસ્ત્રોક્ત લગ્ન વિધિ કરવામાં આવશે. આ અવસરે સંત ઘનશ્યામપુરી બાપુ, ગુરુ શિવપુરીબાપુ – થરા ઉપસ્થિત રહેશે. તેમજ લગ્નોત્સવમાં જે 4 દીકરીઓ કંકુ કન્યા છે. તેના માતા-પિતાનું પટેલ સમાજ દ્વારા સન્માન કરવામાં આવશે. સમૂહ લગ્નોત્સવ અંતર્ગત શનિવારે સવારે 9-15 કલાકે લોક ગાયક રેખાબેન ભરવાડ તથા સર્જુ મહારાજનો લોકડાયરો રંગ જમાવશે.

- text