- text
મોરબી : જેતપર (મચ્છુ) ગામમાં પિતાએ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા પુત્રના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. મોરબીના જેતપર (મચ્છુ) ગામના રહીશ જયદીપભાઈ વાણીયા (રાવળદેવ)એ તેના પુત્ર મિવાનના બીજા જન્મદિવસે મજૂરોના બાળકોને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે બ્લેન્કેટ તેમજ ચપ્પલ અને બિસ્કિટનું વિતરણ કરી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.
- text