મોરબીમાં પ્રોઢે અગ્નિસ્નાન કરી લેતા મોત

- text


મોરબી : મોરબીમાં પ્રોઢે કોઈ કારણોસર અગ્નિસ્નાન કરી લેતા તેમનું મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી નવા એસટી બસ સ્ટેન્ડ સામે આવેલ દીવ્યજીવન સોસાયટીમાં રહેતા રાજેશભાઇ કેશવજીભાઇ પટેલ ઉવ.૪૫ નામના પ્રૌઢએ ગઈકાલે તા.૫ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર પોતાના ઘરે પોતાની મેળે આખા શરીરે દાજી જતા તેમનું મોત નીપજ્યું હતું.બાદમાં તેમની ડેડબોડીને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને બનાવનું કરણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text