મોરબી જિલ્લાના મહેસુલી અધિકારી અને કર્મચારીઓ માટે રવિવારે ચિંતન શિબિર

- text


મોરબી : મોરબી જિલ્લાના મહેસુલી અધિકારીઓ અને કર્મચારીઓ માટે આગામી તા. 5ને રવિવારે ટાઉન હોલ ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટરો, મામલતદારો, નાયબ મામલતદારો, ક્લાર્ક અને તલાટીઓ ઉપસ્થિત રહેવાના છે.

- text

આ ચિંતન શિબિરનું ઉદ્દઘાટન સવારે 9:30એ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના હસ્તે થશે. બાદમાં 10 થી 11 સ્વામી આત્માનંદજીનું ઉદબોધન, 11થી 12 ચિત્રલેખાના વરિષ્ઠ પત્રકાર જ્વલંત છાયાનું ઉદબોધન, 12થી 12:30 અધિક કલેક્ટર કેતન જોશીનું સીએમ ડેશબોર્ડ અસરકારક સુપરવિઝન- અમલીકરણ કેપીઆઈ ઇન્ડિકેટરના સંદર્ભમાં વક્તવ્ય, 12:30 થી 1:30 પ્રાંત અધિકારી-મોરબી એસ.જે. ખાચરનું પ્રિવેન્ટીવ વિજીલન્સ અને તેના નિવારાત્મક ઉપાય અંગેનું વક્તવ્ય, 2:30થી 3 પ્રાંત અધિકારી- વાંકાનેર એન.એફ.વસાવાનું ડિસ્પોઝલ ઓફ રેવન્યુ ટ્યુમર વિથ ઇફેકટીવલી અંગેનું વક્તવ્ય, 3થી 3:30 ઇફેકટીવ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, 3:30થી 4 પૂર્વ કલેક્ટર ડો. બી.એચ. ઘોડાસરા, 4થી 4:30 પ્રતિભાવો અને 4:30થી કવિઝ ત્યારબાદ 5 વાગ્યે કલેક્ટર જે.બી. પટેલ દ્રારા સારાંશ રજૂ કર્યા બાદ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવશે.

- text