ઘીયાવડ પ્રાથમિક શાળા દ્વારા વિજ્ઞાન-ગણિત પખવાડિયાની ઉજવણી કરાઈ

- text


વાંકાનેર : ઘીયાવડ પ્રાથમિક શાળા, સી.આર.સી., જુના કણકોટ, તા. વાંકાનેર, જિ. મોરબીમાં ગત તા.૧૫/૧૨/૨૦૧૯ થી તા.૩૧/૧૨/૨૦૧૯ સુધી “વિજ્ઞાન-ગણિત પખવાડિયું”ની ઉજવણી કરાઇ હતી. જેમાં ગણિત-વિજ્ઞાન મંડળ અને ગણિત-વિજ્ઞાન શિક્ષક વિજયભાઈ જી. સોલંકી દ્વારા દરરોજ પ્રાર્થના સભામાં વિજ્ઞાન અને ગણિતના પ્રયોગો કરાવવામાં આવ્યા હતા.

- text

ઉપરાંત, અનેક વૈજ્ઞાનિકો અને સાધનોનો પરિચય વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો હતો અને વિવિધ સાધનોનું પ્રદર્શન પણ યોજાયું હતું. આ દરમિયાન પી.જી વી.સી.એલ., વાંકાનેર દ્વારા “ઊર્જા બચત” વિષય પર ચિત્ર અને નિબંધ સ્પર્ધા પણ યોજાઈ હતી. જેમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ગણિત જેવા અઘરા લાગતા વિષય પ્રત્યે રસ-રુચિ કેળવાય તે માટે શિક્ષક દ્વારા સરાહનીય ઉમદા કામગીરી કરાઇ હતી, તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે.

- text