મહેન્દ્રનગરના ક્રિષ્ના ગ્રુપે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ભાવતા ભોજનિયાં કરાવ્યા

- text


મોરબી : ઘણા પરોપકારી લોકો જરૂરિયામંદોને સહાય કરી આપવાનો આનંદ પ્રાપ્ત કરતા હોય છે. તેમાં પણ કોઈ માંગે એ પહેલા આપવાનો આનંદ કઈંક અનેરો જ હોય છે. ત્યારે મહેન્દ્રનગરના ક્રિષ્ના ગ્રુપના જેરામ ભીખાલાલ ડાભી, આશિષ ધીરુ વીરડા તથા રાજેશ મોહન પરમારએ આપવાના આનંદના ભાગરૂપે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ભાવતા ભોજનિયાં કરાવી આનંદની અનુભૂતિ કરી હતી.

- text