મોરબીના જોન્સનગરમાં મારામારી કારણે ત્રણને ઇજા

- text


મોરબી : ગઈકાલે મોરબીના જોન્સનગર વિસ્તારમાં અજાણ્યા કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં હિતેશ રાજુભાઈ મુંધવા (ઉ.વ. 22, રહે. ત્રાજપર ખારી), સમીર જુસબભાઇ કટિયા (ઉ.વ. 22, રહે. લાતી પ્લોટ) તથા અજય બાબુભાઇ સવસેટા (ઉ.વ. 21, રહે. કોઠારીયા, તા. જોડિયા)ને ઈજાઓ પહોંચી હતી. તેથી, તેઓને સારવાર હેઠળ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોરબી એ ડિવિઝન પોલીસે આ ઘટનાની નોંધ કરી વધુ તાપસ હાથ ધરી છે.

- text