- text
- text
મોરબી : મહેન્દ્રનગરની પ્રાથમિક શાળાના બાળકોએ શિક્ષકો સાથે રામધન આશ્રમની મુલાકાત લીધી હતી. આ તકે આશ્રમના મહંત ભાગ્યેશ્વરી માતાજીએ તમામ બાળકો સાથે વાતો કરી એમની પ્રતિભા વિશે જાણકારી મેળવી હતી. બાળકોની ટેલેન્ટ જોઈને માતાજીએ આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. દેશનું ભવિષ્ય આપ જેવા વિદ્યાર્થીઓથી જ ઉજળું છે એમ જણાવી સાધ્વીજીએ બાળકોને જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો. આશ્રમ તરફથી બાળકો માટે અલ્પાહાર અને સરબત પીરસાયું હતું. બાળકો આશ્રમમાં અધ્યાત્મનો અનુભવ કરી ખુશ-ખુશાલ જાણતા હતા.
- text