જામુંડીયામાં મામાદેવના નવરંગા માંડવા દરમિયાન ડાક-ડમરની રમઝટ

- text


મોરબી : મોરબી તાલુકાના જામુંડીયા ગામની ધર્મસિદ્ધિ સોસાયટીમાં મામાપીર સાહેબનું મંદિર આવેલું છે. આ મંદિર ખાતે ધર્મસિદ્ધિ સોસાયટીના રહીશો અને મામાદેવ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મામાદેવના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે મહાપ્રસાદ બાદ ડાક ડમરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મોરબીના નામી ડાક કલાકાર દ્વારા દુહા છંદની રમઝટ બોલાવવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગમાં મોરબી તેમજ આસપાસના વિસ્તારના ભુવાઓએ અને ધર્મપ્રેમી લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહી ભક્તિરસનો આનંદ માણ્યો હતો.

- text