હળવદ : પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી આપઘાત કરવા મજબુર કરનાર પતિ સામે ફરિયાદ

- text


હળવદ : હળવદ તાલુકાના માણેકવાડા ગામમાં પતિ દ્વારા પત્ની ઉપર ચારિત્ર્ય અંગે શંકા કરવામાં આવતી હતી અને શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી, પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના ભાઈએ તેના બનેવી સામે બહેનને મરવા માટે મજબુર કરી હોવાની હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628

- text


પ્રાપ્ત વિગત મુજબ હળવદ તાલુકાના માણેકવાડા ગામે રહેતા નિલેશભાઈ શીવાભાઈ કોળીના પત્ની રેખાબેન (ઉ. વ. ૨૫)એ ઘરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જે બનાવમાં મૃતકના ભાઈ સુખદેવભાઈ સોનેચા (ઉ. વ. ૩૨)એ તેના બનેવી શીવાભાઈ કોળી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ આપઘાત કરી મૃત્યુ પામેલા તેના બહેન રેખાબેન ઉપર ચારિત્ર્યની બાબતે શંકા-કુશંકા રાખીને વગર વાંકે અવારનવાર તેને શારરિક માનસિક ત્રાસ દેવામાં આવતો હતો અને માર મારવામાં આવતો હતો. જેથી, અસહનીય જિંદગીથી કંટાળીને તેને અંતિમ પગલું ભરી લીધું હતું. હળવદ તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text