મોરબીમા 8 વર્ષની બાળકીનું ડેન્ગ્યુથી મોત

- text


મોરબી : મોરબીમાં એક 8 વર્ષની બાળકીનું ડેન્ગ્યુથી મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બાળકીને રાજકોટ રીફર કરવામાં આવી હતી. જ્યાં સારવાર બાદ બાળકીએ દમ તોડી દિધો હોવાનું જાણવા મળ્યું છે.

સુત્રોમાથી મળતી વિગત અનુસાર મોરબીના ઋષભનગર મા રહેતી એક આઠ વર્ષની બાળકીને માંદગી સબબ મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યા નિદાન તેમજ રિપોર્ટ કરાવ્યા બાદ બાળકીને ડેન્ગ્યુ તેમજ મગજમાં તાવ હોવાથી આંચકી આવતી હોવાનું સામે આવ્યું હતું. માટે બાળકીને રાજકોટ ખાતે રીફર કરવામાં આવી હતી. બે દિવસની સારવાર બાદ તા.2ના રોજ આ બાળકીનું મોત નીપજ્યું હતું.

- text

હાલ મોરબી જિલ્લા સહિત સહિત સૌરાષ્ટ્રભરમાં ડેન્ગ્યુ કહેર મચાવી રહ્યો છે. જો કે ડેન્ગ્યુને કાબુમાં લેવા આરોગ્ય વિભાગ ઊંઘેમાંથે થયું છે તેમ છતાં અવારનવાર ડેન્ગ્યુના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં ડેન્ગ્યુના કેસથી એક બાળકીનું મોત થયું હોવાના આ કિસ્સાની વિગતવાર હકીકત આરોગ્ય વિભાગની તપાસ બાદ જ બહાર આવશે.

- text