મોરબીમાં ગૌમાતાના લાભાર્થે કાલે સંતવાણી કાર્યક્રમ

- text


મોરબી : મોરબીમાં સમસ્ત ઠુઠાની વાડી દ્વારા ગૌમાતાના લાભાર્થે સંતવાણીનો કાર્યક્રમ આવતીકાલે 26 ઓક્ટોબરના રોજ રાત્રે 9-30 કલાકે મેઈન કેનાલ રોડ, બોરિયાની પાટી, ઠુઠાની વાડી, મોરબી ખાતે યોજવામાં આવ્યો છે. આ તકે બપોરે 1 કલાકે ધજા ચડાવવામાં આવશે તથા સાંજે 5 કલાકે બટુક ભોજન રાખવામાં આવ્યું છે. સંતવાણીમાં ગોપાલ સાધુ (ભજનીક), ગોવિંદ સાધુ (તબલા ઉસ્તાદ), રમેશભાઈ (તબલા ઉસ્તાદ) સહિતના કલાકારો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે.

- text