પરિણીતાએ લગાવી ત્રીજા માળેથી છલાંગ : સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાઇ

- text


મોરબી : તણાવપૂર્ણ જીવન પદ્ધતિને લઈને લોકોની સહનશક્તિ ખૂબ જ સીમિત થઈ ગઈ છે. દામ્પત્ય જીવનની નાની નાની તકરારોમાં પણ મહિલા અને પુરૂષો મગજ પર કાબુ ગુમાવીને ન કરવાનું કરી બેસતા હોય છે. ત્યારે મોરબીમાં આવો જ લાલબત્તી દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે.

મોરબીના લીલાપર રોડ પર પતિ સાથે થયેલી બોલાચાલી બાદ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી છલાંગ લગાવી દેતાં નવોઢાને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાઇ છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લીલાપર રોડ ઉપર સ્મશાનની સામે આવેલ ‘સોનલકૃપા’ એપાર્ટમેન્ટ નામના ફ્લેટમાં રહેતા નયનાબેન મહેન્દ્રસિંહ ચૌહાણ નામની બાવીસ વર્ષની પરિણીતાએ ગઈકાલે મોડી રાત્રીના દશ વાગ્યાના અરસામાં તેના પતિ સાથે થયેલી બોલાચાલી બાદ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી છલાંગ લગાવી દેતા તેને ઇજા થતા સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અહીં તેણીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે નયનાબેન મહેન્દ્રસિંહ ચૌહાણ (ઉં.વ.૨૨)ને રાજકોટ લઈ જવાયા હોવાનું પોલીસ દ્રારા જાણવા મળેલ છે. નૈનાબેનનો લગ્નગાળો એક વર્ષનો હોવાનું જણાવીને મોરબી એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text