- text
મોરબી : પાછલા 15 વર્ષથી અનાથ જેવું જીવન વ્યતીત કરતા એક મહિલાનું અવસાન થતા મોરબીના સમાજસેવી લોકોએ મૃતકની અંતિમ ક્રિયા પુરી ધાર્મિકવિધિ વિધાનથી કરી હતી.મોરબી સ્થિત શંકર આશ્રમે પાછલા 15 વર્ષથી રહેતા માનસિક અવસ્થ મહિલા કે જેઓ પોતાનું નામ મંછાબા જણાવતા તેઓનું અવસાન થતાં એમના વાલી વારસની શોધખોળ હાથ ધરાઈ હતી. આમ છતાં એમના પરિજનો ન મળી આવતા સદગતની અંતિમક્રિયા ચાર દિવસ બાદ સેવાભાવી લોકોએ કરી હતી. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતેથી મૃતક મહિલાના કોઈ સગા સબંધીઓ નથી મળી રહ્યાની જાણ થતાં જ હસીનાબેન અને પંચમુખી ટ્રસ્ટના કાર્યકરોએ મૃતક મહિલાના સંતાનો જ હોય તેવો ધર્મ નિભાવીને હિન્દૂ પરંપરા મુજબ સદગતની અંતિમક્રિયા કરી હતી.
- text
Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.
મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN
ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274
- text