માતાના મઢે જતા પદ યાત્રિકો માટેના શ્રી મોમાઈ કૃપા કેમ્પનું સ્થળ બદલાવેલ છે

- text


મોરબી : જય શ્રી મોમાઈ કૃપા કેમ્પ કે જે અત્યાર સુધી રવિરાજ ચોંકડીએ કાર્યરત હતો તે કેમ્પ હાલ લક્ષ્મીનગર, સીતારામ કોમ્પ્લેક્સથી આગળ શરૂ કરવામાં આવ્યો છે. તારીખ 18/09/2019થી પદયાત્રીઓ માટેનો આ કેમ્પ ધમધમતો થઈ જશે. તો પદયાત્રીઓને આ કેમ્પની સેવાનો લાભ લેવા વિનુભાઈ પરમારે અનુરોધ કર્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે નવરાત્રી દરમ્યાન કચ્છ સ્થિત માતાના મઢે માં આશાપુરના અલૌકિક દર્શન કરવા માટે ગુજરાત જ નહીં પરંતુ ગુજરાત બહારથી પણ માઇ ભક્તો લાંબી પદયાત્રા કરે છે. ત્યારે પદયાત્રી માઇ ભક્તોને માર્ગમાં કશી અગવડ ન પડે એ માટે ઠેર ઠેર કેમ્પો યોજાય છે. જેમાં વિશ્રામ, ભોજન-પાણી તેમજ આરોગ્યને લગતી સુવિધાઓ, સંસ્થાઓ, મિત્ર મંડળો સહિતના સેવાભાવીઓ દ્વારા 24 કલાક પુરી પાડવામાં આવે છે.

- text