મહેન્દ્રનગર ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સેવા સપ્તાહ નિમિત્તે શ્રી સંસ્કાર બ્લડ બેંક દ્વારા મહેન્દ્રનગર ગામની સામાજિક સંસ્થાઓના સહયોગથી ગત તા. 8ને રવિવારે શ્રી તક્ષશિલા વિધાલય ખાતે સવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 77 જેટલી બોટલો એકઠી થઇ હતી. આ ઉપરાંત,લોક સેવા સાથે રાષ્ટ્રવાદ જાગૃત થાય તે માટે માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્રારા દરેક બ્લડ આપનાર બંધુઓને ભારતમાતાનો ફોટો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા તેમજ ગામની સેવા ભાવિ સંસ્થાઓએ જહેમત ઉપાડી હતી.

- text