વિસીપરામાં ગણપતિની સ્થાપનાથી છવાયો ભક્તિમય માહોલ

- text


મોરબી : મોરબીના વિસીપરા ગામમાં માસાણની માતાજી ગ્રુપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિઘ્નહર્તા દેવની ભક્તિભાવપૂર્વક વિધિવત્ રીતે સ્થાપના કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ ઉત્સવને ઉજવવા માટે ગ્રુપના સભ્યો દ્વારા ગ્રામજનોને હૃદયપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text