મોરબી લોહાણા સમાજના વિદ્યાર્થીઓને રવિવારે શિષ્યવૃતિ ચેક અર્પણ કરાશે

- text


મોરબી : લોહાણા મહાપરિષદ તથા લોહાણા મહાજન- મોરબીના ઉપક્રમે લોહાણા સમાજના વિદ્યાર્થીઓને દર વર્ષની જેમ આ વર્ષે તા.૮-૯-ને રવિવારના રોજ સાંજે ૫ કલાકે લોહાણા મહાજન વાડી, સુધારાવાળી શેરી ખાતે શિષ્યવૃતિ ચેક અર્પણ સમારોહ યોજાશે. પ્રતિવર્ષ શિષ્યવૃતિ ની કુલ રકમના ૭૦ ટકા રકમની જોગવાઈ લોહાણા મહાપરિષદ દ્વારા તથા ૩૦ ટકા રકમ લોહાણા મહાજન ના ઉપક્રમે મોરબી ના લોહાણા સમાજ ના આગેવાનો દ્વારા કરવામા આવે છે. આ વર્ષે શિષ્યવૃતિમા હીંમતભાઈ પંડીત, જે.ડી. મિરાણી , ભાવેશ ભાઈ કાથરાણી, મુન્નાભાઆ અઢીયા(મહીમા ગીફ્ટ), ધીરૂભાઈ ભોજાણી, સી.પી.પોપટ, ધર્મેન્દ્રભાઈ કાનાબાર, મહેશ ભાઈ ભોજાણી, લોહાણા વિદ્યોતેજક ફંડ, નરેન્દ્રભાઈ પુજારા, ઠા.નંદલાલ હેમચંદ ચંડીભમર પરિવાર સહીતના લોહાણા સમાજના અગ્રણીઓનો સહયોગ સાંપડ્યો છે તેમજ લોહાણા મહાજન-મોરબીના પ્રમુખ ગીરીશ ભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ નવીનભાઈ રાચ્છ, મંત્રી નરેન્દ્રભાઈની યાદીમા જણાવ્યુ છે.

- text