- text
હળવદ : હળવદ તાલુકાના ચંદ્રગઢ ગમે પસાર થતી નર્મદા કેનાલમાં પડી જવાથી ડૂબી જતાં ખેડૂતનું મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે આ બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
- text
આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતા જીવરાજભાઈ છગનભાઇ સોનાગ્રા ઉ.વ.42 નામના ખેડૂતનું કોઈ કારણોસર ગઈકાલે ચંદ્રગઢ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ બનાવ અંગે હળવદ પોલીસે જણાવ્યું હતું કે, મૃતક ગઈકાલે પોતાના ખેતરે જઈ રહ્યા હતા. તે સમયે ત્યાંની કેનાલમાં પડી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
- text