વાંકાનેરના હસનપર નજીક તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરના હસનપર નજીક તળાવમાં ડૂબી જતાં આજે એક યુવકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામ પાસે આવેલા તળાવ જેવા પાણીના મોટા ખાડામાં આજે બપોરના અરસામાં જિતેન્દ્રભાઈ બટુકભાઈ સેતાણીયા ઉ.વ. 36 રહે. ધમલપર-2 વાળા ન્હાવા માટે ઉતર્યા હતા. આ વેળાએ તેઓ ડૂબી ગયા હતા. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ થતા મોરબી ફાયર વિભાગ અને સ્થાનિકોની મદદથી જિતેન્દ્રભાઈના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text