- text
મોરબી : ભગવાન શ્રીકૃષ્ણના જન્મ મહોત્સવ જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહ્યો છે.ત્યારે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવાના અયોજન કરવામાં આવ્યા છે અને જન્માષ્ટમી નિમિતે ઠેરઠેર મટકી ફોડના કાર્યક્રમો યોજાશે. ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ રામેશ્વર શિવ મંદિરથી આગળ શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે સૂર્યમુખી હનુમાનજી મિત્ર મંડળ દ્વારા તા.24ના રોજ શનિવારે સવારે 11 વાગ્યે જન્માષ્ટમી મહોત્સવ નિમિતે મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે અને મટકી ફોડ કરીને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના હર્ષભેર વધામણાં કરાશે.
- text
- text