મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં રામ વડવાળા ગ્રુપ દ્વારા સરબત-પાણી વિતરણ કરાશે

- text


મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રામાં રામ વડવાળા ગ્રુપ દ્વારા સરબત-પાણી વિતરણ કરાશે

મોરબી : મોરબીમાં તમામ હિન્દૂ સંગઠન દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિતે શનિવારે જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે શોભાયાત્રામાં જોડાતા મોટી સંખ્યામાં લોકોને અગવડતા ન પડે તે માટે મોરબીના રામ વડવાળા ગ્રુપ દ્વારા સતત સાતમા વર્ષે જન્માષ્ટમીની શોભાયાત્રા દરમ્યાન સરબત તથા ફિલ્ટર પાણી વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આ સરબત તથા ફિલ્ટર પાણી વિતરણનો કેમ્પ ગાંધીચોક, પેટ્રોલપંપ પાસે રવાપર રોડ મોરબી ખાતે યોજાશે.આ સેવાકાર્યનો સર્વ ધર્મપ્રેમી જનતાને લાભ લેવા રામ વડવાળા ગ્રુપ તરફથી અપીલ કરવામાં આવી છે.

- text

 

- text