મોરબીના રાજવી પરિવાર દ્વારા પૃથ્વીરાજસિંહ જાડેજાનું સન્માન કરાયું

- text


મોરબી : મોરબીના રાજવી પરિવાર દ્વારા જાંબાઝ પોલીસ જવાન પૃથ્વીરાજસિહ જાડેજાનુ સન્માન કરવામાં આવ્યુ હતું. આ તકે પડધરી, મોરબી અને ટંકારાના રાજપૂત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ટંકારાના પોલીસ જવાન પૃથ્વીરાજસિંહે દેવદૂત બનીને કેડ સમા પાણીમા બે બાળકીને ખભે બેસાડી પાણીથી બચાવી હતી.આ બદલ મોરબીના રાજવી પરિવારના ધ્રુવકુમારસિહ જાડેજાએ સન્માન સમારંભનુ આયોજન કર્યું હતું.આ તકે સજ્જનસિહ ઝાલા, રૂપસિહ- ખિજડીયા, જયરાજસિહ, જુવાન સિહ, હનુભા ધુનડા, જીતુભા, રામદેવસિહ, ગજુભા, વિ. કે ઝાલા, જુવાનસિહ, લવુભા, આર. વિ. ઝાલા, બટુકસિહ, કરણુભા, દિવ્યરાજસિંહ, વિક્રમસિંહ, દેવેન્દ્રસિહ, દિલુભા, દિગ્વિજયસિંહ. હકુમતસિહ સહિતના મિતાણા, ટંકારા, મોરબી અને પડધરીના રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ તકે ધ્રુવકુમારસિંહે તમામ ક્ષત્રિયના પોલીસ જવાનોને પૃથ્વીરાજસિંહ જાડેજાની જેમ ગરીબ વંચિત અને સોસિત માટે કામ કરવા ટકોર કરી હતી. સાથે તેમણે ઉમેર્યું હતું કે મારા દરવાજા પણ ફરીયાદ અને જરૂરતમંદ માટે હમેશા ખુલ્લા હોય છે. અંતમાં પુથ્વીરાજસિહ જાડેજાએ તમામ લોકોનો આભાર માન્યો હતો. થાણા અધિકારી એલ.બી. બગડા અને એસ.પી.ડો કરનરાજ વાધેલાની અધ્યક્ષતામાં હિંમત મળી હતી જેથી આ કાર્ય આસાનીથી થઈ શક્યુ હતુ તેમ પૃથ્વીરાજસિંહે જણાવ્યું હતું.

- text