- text
વાંકાનેર : વાંકાનેર તાલુકામાં બાઉન્ટ્રી પાસે આવેલ રંગપર ગામે નેશનલ હાઈવે પર આઈ શ્રી મોગલ માતાજીના મંદિરે ગત રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા મંદિરના તાળા તોડી મંદિરમાં રાખેલી દાનપેટી તેમજ માતાજીનો ભેળીયો (ઓઢણી) ચોરી કરી લઇ ગયેલ છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હજુ એક મહિનાથી જ થયેલ છે. સવારે પુજારી આરતી કરવા માટે આવતા આ ચોરી ની ઘટના ધ્યાનમાં આવેલ છે. મંદિરમાં ચોરીની ઘટનાથી ભકતોમાં રોષની લાગણી ફેલાઈ છે અને તુરંત વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરતા આ બનાવની વધુ તપાસ બીટ જમાદાર ધર્મેન્દ્રસિંહ એ. જાડેજા ચલાવી રહ્યા છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text