વાંકાનેરમાં યુવતીએ જાત જલાવી આપઘાત કર્યો

- text


વાંકાનેર : વાંકાનેરમા એક યુવતીએ અગમ્ય કારણોસર જાત જલાવીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરમા જિનપરા વિસ્તારમાં રહેતા અનારબેન સલીમભાઈ પંજવણી ઉ.વ.21એ પોતાના ઘરે કોઈ કારણોસર શરીર પર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. જેના કારણે ગંભીર રીતે દાઝી જતા તેઓનું મોત નીપજ્યું હતું. હાલ આ મામલે નોંધ કરીને આપઘાત પાછળનું કારણ શોધવા વાંકાનેર સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પી.એચ. બોરાણા તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text