ચરાડવા ગામે મહાકાળી આશ્રમના ઘાસના ગોડાઉનમાં આગ લાગતા લાખોનું નુકશાન

- text


હળવદ : મોરબી નજીક ચરાડવા ગામ પાસે આવેલા મહાકાળી આશ્રમના ઘાસના ગોડાઉનમાં આજે સવારે અચાનક આગ લાગતા ગોડાઉનમાં રહેલ ઘાસચારા સહિતની લાખો રૂપિયાની માલમતાનું નુકશાન થયું છે.

હજારો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન મોરબી નજીક ચરાડવા ગામ નજીક આવેલા મહાકાળી આશ્રમના ગોડાઉનમાં ગ્રામજનો તથા આશ્રમવાસીઓએ ધુમાડા નીકળતા જોતા તરત ફાયરબ્રિગેડને જાણ કરી હતી. કોલ મળતા જ મોરબી પાલિકાના બે ફાયર ફાયટરને ઘટના સ્થળે દોડાવાયા હતા. આગની ઘટનાને લઈને હળવદના પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

- text

મામલતદાર સોલંકીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. ગોડાઉનમાં 12 લાખ રૂપિયાની કિંમતનો ઘાસચારો અને પશુ નિરણ આગમાં ભસ્મીભૂત થવાનું સામે આવ્યું છે. સદભાગ્યે આગમાં કોઈ જાનહાની થઈ નથી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text