મોરબી : બરવાળામાં બાવરવા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ

- text


મોરબી : મોરબીના બરવાળામાં ગઈકાલ તારીખ 28ને રવિવારથી બાવરવા પરિવાર દ્વારા ભાગવત જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, આ કથાની પુર્ણાહુતી તારીખ 4ને શનિવારે થશે.

બાવરવા પરિવાર દ્વારા યોજાયેલી આ ભાગવત કથાનો પ્રારંભ ગઈકાલે તારીખ 28ને રવિવારે રંગે ચંગે કરવામાં આવ્યો હતો. આ કથાના મુખ્ય વક્તા બગસરાના જમનાદાસ બાપુ નિમાવત(9979635195) છે. આ ભાગવત સપ્તાહનું આયોજન સ્વ. કમળાબા તથા સ્વ. વસંતાબેનના મોક્ષાર્થે કરવામાં આવ્યું છે. આ ભાગવત સપ્તાહનો લાભ લેવા માટે લવજીભાઈ બાવરવા, ભુપતભાઇ બાવરવા, ભરતભાઈ બાવરવા, હિમાંશુભાઈ બાવરવા, દેવાંગભાઈ બાવરવા, પાર્થભાઈ બાવરવા તેમજ સમગ્ર બાવરવા પરિવાર અને બરવાળા ગામના આયોજકો દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text

 

- text