- text
મોરબી :.મોરબીના મહેન્દ્રપુર (મોટા રામપર) ગામે આવેલ સુપ્રસિદ્ધ નારીચાણીયાની જગ્યાએ આવતી ચૈત્રી પૂનમના રોજ હનુમાન જયંતીની તડામાર તૈયારી ચાલી રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.
આ પ્રસંગે યજ્ઞ,(હવન) બટુક ભોજન,બ્રહ્મ ભોજન,તથા સમૂહ ભોજન તેમજ બપોરે બાર કલાકે મહાઆરતી આયોજન કરેલ છે યજ્ઞના મુખ્ય યજમાન છગનભાઈ ભુરાભાઈ ઘેટિયા પરિવાર બિરાજમાન થશે આ કાર્યને સફળ બનાવા ઉપેન્દ્ર સિંહ ઝાલા, ગંભીર,સિંહ ઝાલા, જયપાલ સિંહ ઝાલા તેમજ બજરંગ યુવક મંડળ મહેન્દ્રપૂર, બાલાજી સેવા મંડળ ઉમિયાનગર ભારે જેહમત ઉઠાવી રહ્યા છે તેમ નારિચાણીયાં હનુમાનજીની જગ્યાના મહંત ભરતદાસ બાપુ કુબાવતે જણાવ્યું હતું.
આપણું મોરબી..આપણો રેડીઓ..
- text
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
- text