મોરબીના ઘુટુ રોડ ભગવત્ ધામ આશ્રમનું થયું ભૂમિપૂજન : હરિભક્તોમાં હરખની હેલી

- text


મોરબી : ભગવત ધામ ગુરુકુલ ધ્રાંગધ્રાની નૂતન શાખા એવા ભાગવત ધામ આશ્રમની ( સ્વામિનારાયણ મંદિર) ભૂમિ પૂજન વિધિ સવંત ૨૦૭૫ ફાગણ વદ-૨ તા. ૨૨ માર્ચ શુક્રવારે કરવામાં આવતા હરિભક્તોમાં હરખની હેલી ઉઠી હતી. પૂજ્ય મોટા સ્વામીની સ્મૃતિ અર્થે આ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ઘુંટુ રોડ, મહેન્દ્રનગર ચોકડીથી એક કિલોમીટર આગળ આવેલા હરિઓમ પાર્ક, લેન્જ સીરામીકની સામે આવેલ સ્થળે પ.પૂ.સદગુરુ શાસ્ત્રી શ્રી નારાયણ સ્વરૂપ દાસજીના વરદ હસ્તે આ ભૂમિપૂજન કાર્ય સંપન્ન થયું હતું. આ પ્રસંગે હજારો હરિભક્તોએ હાજર રહી ભૂમિપૂજન દર્શનનો લ્હાવો લીધો હતો.

- text

- text