- text
સમાજના મહાનુભાવોનું ભાવભેર બહુમાન કરાશે
મોરબી : મોરબી રાજપૂત સમાજ દ્વારા આવતીકાલે રવિવારે ટાઉન હોલ ખાતે સમાજના મહાનુભાવોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
- text
મોરબી રાજપૂત સમાજ દ્વારા કાલે તા. ૧૭ને રવિવારે બપોરે ૦૩:૩૦ થી સાંજે ૦૬:૩૦ સુધી.
ટાઉન હોલ, ગાંધી ચોક ખાતે સમાજના મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે. તાજેતર ગુજરાત સરકાર માં નવનિયુક્ત રાજ્ય કક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ ( હકુભા ) જાડેજા, માંડવી – મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય ગોંડલ ગીતાબા જયરાજસિંહ જાડેજા, માજી ધારાસભ્ય લિબડી કિરીટસિંહજી રાણા, અનીરૂદ્ધસિંહ જાડેજા (રિબડા)સમાજના અગ્રણીનું સન્માન કરવામાં આવશે.
- text