મોરબીમાં શુક્રવારથી દસ દિવસ અખંડ હરિનામ સંકીર્તન મહાયજ્ઞ

- text


ધૂન સાથે ધુળેટીની પણ ઉજવણી કરવામાં આવશે

મોરબી: મોરબીના નવલખી રોડ પરના પીપળીયા ગામે તા.૧૫ને શુક્રવારથી તા. ૨૪ને રવિવાર સુધી દસ દિવસીય “શ્રી રામ જય રામ જય જય રામ” ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજનમાં તા.૧૫ને શુક્રવારે ધૂનનો શુભારંભ તથા તા.૨૧ને ગુરુવારે ધામધૂમથી ધુળેટીનો ઉત્સવ ઉજવાશે અને તા.૨૪ને રવિવારે આ અખંડ ધૂનને વિરામ આપવામાં આવશે. આ અખંડ ધૂનનો લાભ લેવા માટે દૂર દૂરથી બહોળી સંખ્યામાં ભાવિકો પધારશે. આ ધૂન કાર્યક્રમમાં જોડાવા માટે લખા ભગત, સંજયભાઈ વી માણેક તથા સમસ્ત માણેક પરિવાર અને સમસ્ત ગ્રામજનોએ જનતાને અનુરોધ કર્યો છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text