- text
મોરબી : મોરબીના માળિયા વનાળિયામાં મહિલાની હત્યાના કેસમાં પોલીસે ૧૩ માથી ૩ આરોપી પકડ્યા બાદ વધુ એક મહિલા આરોપીને પોલીસે પકડી પાડી છે. જો કે હજુ ૯ આરોપીઓ ફરાર છે.
- text
મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલા માળીયા વનાળીયામાં મારામારીમાં ઘવાયેલા ગંગાબેન નટવરભાઈ રાબડીયાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવમાં બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ૧૩ શખ્સો સામે ગુનો નોંધીને ૩ શખ્સોને પકડી પાડ્યા હતા. ત્યારે આજરોજ વધુ એક મહિલા આરોપી બાલુબેન કાળુભાઈ ચાવડાની ધરપકડ કરી છે. જો કે હત્યા કેસમાં સંડોવાયેલ ૯ આરોપીઓ હજુ પણ ફરાર છે.
- text