મોરબી : બનાવટી ફાયરીંગ પ્રકરણમાં ગૌસેવક સહિત છ જેલહવાલે

- text


એક દિવસના રિમાન્ડ દરમ્યાન સામખીયારી પાસે કરેલા ફાયરિંગની તપાસ : આરોપીએ અધોઇના શખ્સ પાસેથી બંદૂક લીધી હોવાનું ખુલ્યું

મોરબી : મોરબીના મહેન્દ્રનગર પાસે ગૌસેવકની કાર પર થોડા દિવસો પહેલા બે અજાણ્યા શખ્સોએ ફાયરીગ કર્યાના ચકચારી બનાવમાં એલસીબીની તપાસમાં ખુદ ફરિયાદી કહેવાતો ગોસેવક આરોપી હોવાનો ભાડાફોડ થયો હતો.બાદમાં ગોસેવક સહિત છ આરોપીઓના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોર્ટના આદેશથી તમામ આરોપીઓને જેલહવાલે કરાયા છે.

- text

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલી પોતાની નિરાધાર ગોશાળા પાસે ગોરક્ષક દિનેશભાઇ રામજીભાઈ લોરીયા ગત તા.12 ફેબ્રુઆરીએ પોતાની સ્કોર્પિયો કારમાં બેઠા હતા.તે સમયે બે અજાણ્યા શખ્સો બાઇકમાં આવી અને તેમની કારમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાનો બનાવ જાહેર થયા બાદ આ બનાવની બી ડિવિઝન અને એલસીબીએ આ બનાવની પ્રાથમિક તપાસમાં કહેવાતા ગૌ સેવક દિનેશ લોરીયાએ તુત રચીને પોતાના સાગરીતો સાથે મળીને પોતે જ પોતાના પર ફાયરિંગ કર્યું હોવાનું ખુલ્યું હતું. બાદમાં ગૌ સેવક દિનેશભાઇ લોરીયા તેમજ ભચાઉના ચાર શખ્સો ઈબ્રાહીમ ઇસ્માઇલ તરાયાં, સિકંદર ઓસમાણ તરાયા, સિકંદર ઇસ્માઇલ તરાયા, અબ્દુલ ઇશમાઇલ તરાયા તેમજ અશ્વિન પરમાર સામે ગુનો નોંધીને ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ પર લીધા હતા.રિમાન્ડ દરમિયાન પોલીસે
સામખીયારી પાસે જે નકલી ફાયરીગ થયુ હતું તે સ્થળની તપાસ કરીને પુરાવા એકત્ર કર્યા હતા અને આરોપીઓ બંદૂક અધોઇના શખ્સ પાસેથી લીધી હોવાનું ખુલ્યું હતું.દરમ્યાન આજે રિમાન્ડ પુરા થતા કોર્ટના આદેશ પ્રમાણે છ આરોપીઓને જેલમાં ધકેલી દેવાય છે.

 

- text