મોરબીના વીરપરડા ગામે કૂવામાં પડી જતા પ્રૌઢનું મોત

- text


મોરબી : મોરબીના વિરપરડા ગામે રહેતા પ્રૌઢનું ગામની સીમમાં આવેલા કૂવામાં પડી જવાથી ડૂબી જતા મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલિસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના વીરપરડા ગામે રહેતા ઘનશ્યામસિંહ અણદુભા જાડેજા ઉ.વ.56 ગત તા.4ના રોજ ગામની સીમમાં આવેલા 20 ફૂટ પાણી ભરેલા કૂવામાં પડી જતા તેમનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવ આપઘાતનો છે કે અકસ્માતનો તે જાણવા તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text