મોરબી : ઉછીના આપેલા સો રૂપિયા પરત માંગતા યુવાન પર છરીથી હુમલો

- text


મોરબી : મોરબીના સામાકાંઠે આવેલી બૌદ્ધનગર સોસાયટીમાં ઉછીના આપેલા સો રૂપિયા પરત માંગતા યુવાન પર એક શખ્સે છરીથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. બી ડિવિઝન પોલીસે યુવાનની ફરિયાદ પરથી એક શખ્સ સામે એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલ્વે સ્ટેશન પાછળ આવેલ બોદ્ધનગર સોસાયટીમાં રહેતા તુલસીભાઈ અરજણભાઈ મૂછડીયા ઉ.વ.28 નામના યુવાને તેજ વિસ્તારમાં રહેતા મનીષ ઉફે ઝાડો પોપટભાઈ કોળી સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,તેમણે આરોપીને અગાઉ રૂ.100 ઉછીના આપ્યા હતા. તેથી હાથ ઉછીના આપેલા રૂ.100 યુવાને પરત માંગતા આ બાબતનો ખાર રાખીને આરોપીએ તેના પર છરીથી હુમલો કર્યો હતો. બી ડિવિઝન પોલીસે યુવાનની ફરિયાદ પરથી આરોપી સામે મારામારી અને એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text