- text
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ વિધુત સોસાયટીમાં રહેતા મહિલાએ આજે અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધો હતો.બી ડિવિઝન પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું ખુલ્યું છે.
મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી આ બનાવની મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ વિદ્યુત સોસાયટીમાં રહેતી વનીતાબેન મહેશભાઈ સમુરા ઉ.વ.56 નામની મહિલાએ આજે પોતાના ઘરે અગ્નિસ્નાન કરીને જીવનનો અંત આણી લીધો હતો.બાદમાં તેમના મૃતદેહને પી.એમ.અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસના ઈમ્તિયાઝભાઈએ જણાવ્યું હતું કે મૃતક મહિલાના 20 વર્ષ પહેલાં લગ્ન થયા હતા.તેમને ચાર સંતાનો છે.મૃતક મહિલાને છેલ્લા કેટલાક સમયથી માનસિક તકલીફ હતી.આ માનસિક બીમારીની દવા ચાલુ હોવા છતાં કોર ફરક ન પડતા અંતે આજે તેમણે આ બીમારીથી કંટાળીને આ અંતિમ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text
મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en
- text