મોરબીમાં દશનામ ગોસ્વામી સમાજનો દશમો સમૂહ લગ્નોત્સવ તા.24ના યોજાશે

- text


મોરબી : શ્રી દશનામ ગોસ્વામી સમૂહ લગ્ન સમિતિ મોરબી આયોજિત મોરબી દશનામ ગોસ્વામી સમાજનો દશમો સમૂહ લગ્નોત્સવ આગામી તા ૨૪/૨ને રવિવારે મોરબી રામધન આશ્રમ ખાતે યોજાશે. જેમાં ૫ યુગલો લગ્નગ્રંથિથી જોડાશે. કન્યાઓને કરીયાવરમાં સોના ચાંદીના દાગીના સહિત ૮૧ ગૃહ ઉપીયોગી ચીજવસ્તુઓ સમાજના દાતાઓના સહયોગથી ભેટ આપવામાં આવશે. આ સમૂહ લગ્નમાં હિતેન્દ્રગીરી જેઠીગીરી ગોસ્વામી, દિપ્તીબેન હિતેન્દ્રગીરી (USA), ચેતનગીરી ગોસ્વામી (પીએસઆઇ વઢવાણ), ભરતપુરી ચંદુપુરી મોરબી, મનસુખપુરી મોહનપુરી મોરબી સહિત સંતો ભાવેશ્વરીબેન (રામધન આશ્રમ), બલરાજગીરી ગોસ્વામી, (મહાકાલેશ્વર મહાદેવ જેતપર) તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. સમૂહ લગ્નને સફળ બનાવવા પ્રવીણભારતી ચંદ્રકાન્તભારતી, રાજેશપુરી બટુકપુરી, ડૉ. જયદીપ ગોસ્વામી, પંકજગીરી, અરવિંદવન, પ્રવિણગીરી, ભરતગીરી, સહિતના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

- text

- text