મોરબી : ધૂન ભજનના કાર્યક્રમમાં ભારતમાતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલી અપાઈ

- text


મોરબી : કાશ્મીરના પુલાવામાં આંતકી હુમલાથી સમગ્ર મોરબી શહેર પાક. સામે ધગધગતા આક્રોશ સાથે શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરી રહ્યું છે.ત્યારે ભલોડિયા પરિવારના દિવંગત વડીલની પુણ્ય સ્મૃતિ નિમતે યોજાયેલા ધૂનભજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ લોકોએ ભરતમાતાના વીર સપૂતોને શ્રધાંજલિ આપી હતી.

મોરબીમાં ભાલોડીયા પરિવાર દ્વારા દિવંગત સ્વ.ચદ્વિકાબેન બાવનજીભાઈ ભલોડિયાની પુણ્ય સ્મૃતિ નિમતે ગઈકાલે પ્લેટિનમ હેઇટ્સ, રામકો બંગલોઝની સામે ધૂનભજનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કાશ્મીરમાં શહિદ થયેલા વીર સપૂતોને ભારે હૈયે શ્રદ્ધાજલી આપવામાં આવી હતી.આ ધૂંનભજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ લોકોએ બે મિનિટ મૌન પાળી ભરતમાતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપી હવે ભારત સરકાર આંતકી હુમલા સામે નક્કર કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

- text