મોરબી તાલુકાની શુક્રમણિ શાળાના બે છાત્રોની નેશનલ શિષ્યવૃત્તિ માટે પસંદગી

- text


મોરબી: શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માટે નેશનલ મીનસ કમ મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષામાં શુક્રમણિ પ્રાથમિક શાળા,જસાપરના ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી બોરીચા દીક્ષિત રમેશભાઈ અને વૈષ્ણવ ઋતિક નિલેશભાઈએ મેરિટમાં પસંદગી પામીને પ્રાથમિક શાળા , જસાપર ગામનું ગૌરવ વધાર્યુ છે.

આ પરીક્ષાના મેરિટમાં પસંદગી થનાર આ બન્ને વિદ્યાર્થીઓને સરકાર તરફથી ધોરણ ૧૨ અભ્યાસ કરે ત્યાં સુધી દર મહિને વિદ્યાર્થીઓના ખાતામાં. ૧૦૦૦/- જમા કરવામાં આવે છે.કોઇ પણ શિષ્યની સફળતા પાછળ તેના ગુરુજનોનો સિંહફાળો હોય છે. તેમ તેમની જ્વલંત સફળતા પાછળ તેમના પ્રાથમિક શિક્ષકોના અથાગ પ્રયત્નો છે. આ સફળતા બદલ શુક્રમણિ પ્રાથમિક શાળા,જસાપરના આચાર્ય અશ્વિનભાઇ આહિર શાળાના તેજસ્વી તારલાને અને તેમના માર્ગદર્શક શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.\

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text