ખેતરમાં ઢોર ચરાવવાના પ્રશ્ને આધેડને લાકડીથી ફટકાર્યા

- text


મોરબી : મોરબીના ધૂળકોટ ગામે ખેતરમાં માલઢોર ચરાવવાના પ્રશ્ને માલધારી આધેડને એક શખ્સે લાકડીથી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ધૂળકોટ ગામે રહેતા પાંચાભાઈ લાખાભાઈ ગમારા ઉ.વ.55 નામના માલધારી આજે સવારના સમયે પોતાના માલઢોર લઈને ખાનપર રોડ ઉપર ધૂળકોટ ગામની સીમમાં આવેલ હકુભાઈ કાનજીભાઈ કડીયાની વાડીમાં ચરાવવા ગયા હતા.ત્યારે ત્યાં આવીને સનાભાઈ રમુભાઈ ગમારાએ અહીં કેમ ઢોર ચરાવવા આવ્યો તેમ કહી માલધારી આધેડને ગાળો આપી લાકડીથી માર માર્યો હતો.એટલું જ નહીં આરોપીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પાંચાભાઈએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text