મોરબીના જુના સદુળકા ગામે 5મીએ શિવ મહાપુરાણ

- text


મોરબી : મોરબીના જુના સાદુંળકા ગામે આવેલા શકિત આશ્રમ ખાતે ઝાલા પરિવાર તથા સેવા સમિતિ દ્વારા ગૌશાળાના લાભાર્થે તા.5 થી. તા.13 ફ્રેબ્રુઆરી સુધી દરરોજ સવારના 9 થી 12 અને બપોરના 2,-30 થી 5 વાગ્યા સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિવકથા દરમ્યાન વિવિધ ધાર્મિક પ્રસંગો ધર્મોલ્લાસભેર ઉજવાશે.તેમજ મહાપ્રસાદનો કાર્યકમ યોજાશે. આ ઉપરાંત ઝાલા ઘનશ્યામસિંહ લખુભા દ્વારા માતાજીનો નવરંગ માંડવો અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિવકથાનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.

 

- text