મોરબી : પરિણીતા આપઘાત કેસમાં પતિ અને સસરા સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ

- text


જસમતગઢની પરણીતાએ ખાનપર પિયરમાં આપઘાત કરી લીધા બાદ તેના પિતાએ ફરિયાદ નોંધાવી

મોરબી : જસમતગઢની પરણીતાએ પિયરે નાનાભાઈના લગ્ન બાદ ઝેરી દવા પીને આપઘાત કરી લીધાના બનાવમાં મૃતકના પિતાએ પુત્રીના પતિ અને સસરા સામે કરિયાવર મુદ્દે ત્રાસ આપીને પોતાની પુત્રીને મરવા મજબૂર કર્યા ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબીના જસમતગઢ ગામની પરણીતા નેહલબેન મયુરભાઈ રંગપરિયા(ઉ.વ.20)એ ખાનપર ગામે પિયરે પોતાના નાનાભાઈના લગ્નમાં આવ્યા બાદ ઝેરી દવાપીને આપઘાત કરી લીધો હતો. નાનાભાઈના લગ્ન પુરા થયા બાદ પરણીતાએ આ અંતિમ પગલું ભરી લેતા તેનો પરિવાર શોકમગ્ન બની ગયો હતો. દરમ્યાન આજે તેણીના પિતા મનસુખભાઇ ભીમણીએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિ મયુરભાઈ વલ્લભભાઈ રંગપરિયા તું ગમતી નથી તેમ કહીને તથા સસરા વલ્લભભાઈ રંગપરિયા કરિયાવર મુદ્દે છેલ્લા પોણા બે વર્ષથી ત્રાસ ગુજારતા હતા.આખરે બન્નેના ત્રાસથી કંટાળીને તેમની પુત્રીએ અંતિમ પગલું ભરી લીધાનું ફરિયાદમાં જણાવ્યું હતું.તાલુકા પોલીસે બન્ને આરોપીઓ સામે મરવા મજબૂર કર્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text