મોરબીના સીરામીક ઉદ્યોગપતિને જાનથી મારી નાખવાની ધમકી

- text


સીરામીક કારખાનામાં પાણીનો ટાંકો નાખવાના મુદ્દે ઝઘડો થતા એક શખ્સે ફોન પર આપી ધમકી

મોરબી : મોરબી નજીક ટીંબડીના પાટિયા પાસે આવેલા સીરામીક કારખાનામાં પાણીનો ટાંકો નાખવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા એક શખ્સે સીરામીક ઉધોગપતિને ફોન પર જાણથી મારી નાખવાની ધમકી આપતા આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે ઉધોગપતિની ફરિયાદના આધારે એ શખ્સ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીમાં રહેતા અને મોરબી તાલુકાના ટીંબડીના પાટિયા પાસે યશવીર સીરામીક કારખાનું ધરાવતા જયેશભાઇ વનજીભાઈ પાડલિયાએ નાગડવાસ ગામના હકાભાઈ પ્રભાતભાઈ આહીર નામના શખ્સ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના સીરામીક કારખાનામાં પાણીનો ટાંકો ઠાલવવા મામલે આરોપી સાથે તેમને માથાકૂટ થઈ હતી.આ માથાકૂટનો ખાર રાખી આરોપીએ સીરામીક ઉધોગપતિને ફોન કરીને એકલો નિકળીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી .આથી આ બનાવ અંગે સીરામીક ઉધોગપતિએ આજે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text