વાંકાનેરના યુવાને અગમ્ય કારણોસર મચ્છુ નદીના પુલ પરથી પડતું મૂક્યું

- text


વાંકાનેર : વાંકાનેરના સુનિલ રઘુભાઈ છનિયાળા જાતે દેવીપુજક ઉંમર વર્ષ 25 કોઈ અગમ્ય કારણોસર વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ મચ્છુ નદીના બ્રિજ પરથી પડતું મૂકતા ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી પ્રાથમિક સારવાર આપેલ બાદ વધુ પડતી ઈજાના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરેલ છે.

ઈજાગ્રસ્ત યુવાન વાંકાનેરની સોમવારી બજારમાં જુના કપડા વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. વાંકાનેર સરકારી દવાખાને યુવાનના માતા-પિતા તેમજ પરિવારજનો આવી યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં જોઈ કરૂણ કલ્પાંત કરેલ.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text