લૂંટાવદરના પાટિયા પાસે કોલસી ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો

- text


સદભાગ્યે કોઈ જાનહાની નહિ

મોરબી : ગઈ મોડી રાત્રે નવલખીથી મોરબી તરફ કોલસી ભરીને આવી રહેલ એક ટ્રક લૂંટાવદરના પાટિયા પાસે કોઈ કારણસર પલટી ખાઈ ગયો હતો. મોડી રાત્રે બનેલા આ બનાવ સમયે ટ્રાફિક ઓછો હોવાથી અન્ય કોઈ નુકશાની થઈ નથી. જો આવો અકસ્માત દિવસના ભાગે બનત તો ન થવાનું ઘણું અજુગતું થવાની ભીતિ દર્શાવાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે આ માર્ગ ઉપર મોડી રાત્રીના થોડા સમયને બાદ કરતાં ભારે વાહનોની ખાસ અવર જવર મોટા ભાગના સમય દરમ્યાન રહે છે. માલવાહક વાહનો ઉપર ગતિ નિયંત્રણ કરાવવા વાળી વ્યવસ્થાનો મોટેભાગે અભાવ પ્રવર્તતો હોવાથી વારંવાર અકસ્માતોના બનાવો બનતા રહે છે. ત્યારે તંત્ર હજુ પણ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ બેઠું હોય તેવું આજુબાજુના ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે.

- text

 

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

 

 

- text