મોરબીમાં ભૂખ્યાને ભોજન કરાવતું ગુરુદેવ ગ્રુપ

- text


વિરદાસ બાપુની પુણ્ય તિથિ પ્રસંગે આયોજન

મોરબી : મોરબી વરિયા પ્રજાપતિ મંદિરના ગુરુદેવ ગ્રુપ દ્વારા વિરદાસ બાપુની ૧૪મી પુણ્યતિથિ નિમીતે ઝૂંપડપટ્ટી વિસ્તારના ભૂખ્યા બાળકોને ભોજન કરાવી જઠરાગ્નિ ઠારવા નેક પ્રયાસ કરાયો હતો જેમાં રોબિનહુડ આર્મી ગ્રુપનો પણ સહયોગ સાંપડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આગામી ૩૦ના રોજ ગુરુદેવ પૂ.વીરદાસ બાપુની ૧૪મી પુણ્યતિથિ નિમિત્તે ગુરુદેવ ગ્રુપ મોરબી અને રોબિન હૂડ આર્મી મોરબી દ્વારા ભૂખ્યાની જઠરાઅગ્નિ ઠારવા માટેની સેવાકીય પ્રવુતિ ચાલે છે જેના ભાગ રૂપે ઝૂંપડપટ્ટી વિસ્તારના ૪૦૦ થી વધુ બાળકોને ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું હતું.

- text

- text