- text
મૂર્ધન્ય કવિ કાયમ હજારીના જન્મદિવસે સ્વરાંગન ખાતે વિશેષ કાર્યક્રમ
મોરબી : મોરબીના આંગણે આવતીકાલે મૂર્ધન્ય કવિ કાયમ હજારી સાહેબના જન્મ દિવસે પુસ્તક પરબ અંતર્ગત સ્વરાંગન સંસ્થા, નીલકંઠ વિદ્યાલય સામે, સાંજે ૫ થી ૭ દરમિયાન મુશાયરો અને કાયમ સાહેબની ગઝલો તેમજ તેમના વક્તવ્યનું આયોજન કરાયું છે જેથી સાહિત્ય પ્રેમીઓએ આ કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text