- text
13 મીએ અલ્પા પટેલ, બિરજુ બારોટ, મનસુખભાઇ વસોયા સહિતના કલાકારો સંતવાણીમાં રમઝટ બોલાવશે
મોરબી : મોરબીના નાની વાવડી ગામે તા.10 ડિસેમ્બરથી તા. 16 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 8-30 થી 11-30 અને બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન સમસ્ત ગામ તથા માધવ અંધ અપંગ ગૌશાળા દ્વારા ગોપી ગાયના મોક્ષર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભાગવત સપ્તાહમાં દિવ્યપ્રકાશદાસજી સ્વામી તથા જગતપ્રકાશદાસજી સ્વામી ભાગવત કથાનું રસપાન કરાવશે, ભાગવત કથા દરમિયાન તા. 13ના રોજ રાત્રીના સમયે અલ્પા પટેલ, બિરજુ બારોટ અને મનસુખભાઇ વસોયા સહિતના કલાકારો સંતવાણીમાં રમઝટ બોલાવશે તેમજ તા 15ના રોજ પણ રાત્રી દરમિયાન સંતવાણીનો કાર્યક્રમ યોજાનાર છે.
- text
આ ધાર્મિક કાર્યક્રમોનો સર્વ ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માધવ અંધ – અપંગ ગૌશાળા દ્વારા અનુરોધ કરાયો છે.
- text