મોરબીમાં પૈસાની ઉઘરાણીમાં છરીના ઘા ઝીકાયા

- text


પિતરાઈ ભાઈની ઉઘરાણીમાં ગેરેજ સંચાલક વાંક વગર નંદવાયો

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં ગઈકાલે જૂની ઉઘરાણીના પ્રશ્ને મોબાઈલ ફોનથી વાતચીત કરી ઉઘરાણી કરતા ચાર શખ્સોએ ડખ્ખો કરી ગેરેજ સંચાલક પટેલ યુવાનને વાંક વગર મારમારી છરી મારી દેતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ હરીઓમ નાસ્તાની દુકાન પાસે થયેલ મારામારીમાં અમીત વાઘજી વડગાસીયા (ઉ.23) ધંધો ગેરેજકામ રહે.મોરબી મહેન્દ્રનગર મૂળ રહે.મેરૂપર હળવદવાળાને ઇજાઓ થતા સારવારમાં લઇ જવાયો હતો. બાદમાં તેણે રમેશ પ્રેમજી વસીયાણી, હાલ રહે.વાવડી તા.જી. મોરબી મૂળ રહે. લુણસર તા.વાંકાનેર તેમજ તેની સાથે બે અજાણ્યા માણસો અને એક અજાણી મહિલા મળી ચાર વિરૂઘ્ધ સીટી બી-ડીવીઝનમાં ગુનો નોંધાવેલ હતો.

- text

વધુમા અમીતના મોટાબાપુના દિકરા વલ્લભ ઉર્ફે વિશાલને રમેશ વસીયાણી પાસે સ્પેરપાર્ટના પૈસા લેવાના નિકળતા હોય તે પૈસાની વિશાલની સાથે રહીને ઉઘરાણી કરતા સારૂ ન લાગતા ચારેયે લાકડાના ધોકા તથા છરી વડે હુમલો કર્યો હતો. વલ્લભને ઢોર માર મારીને તેેમજ ફરિયાદી અમીત વડગાસીયાને છાતીમાં જીવલેણ છરીનો ઘા મારી દેવાયો હોય પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને પકડી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

- text