- text
વાંકાનેર : વાંકાનેરના આરોગ્યનગરમાં ગઈકાલે રાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને શ્રમજીવી પરિવારના મકાનને નિશાન બનાવી પોણાલાખની માલમતા ઉઠાવી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેર આરોગ્યનગરમાં રહેતા અને કડીયાકામ કરતા ગોપાલ સોમા જોલાપરના રહેણાંક મકાનમાં પ્રવેશીને તસ્કરો તેમના કબાટમાં રહેલ સોનાના બે ચેન, સોનાની બે બુટ્ટી તથા સોનાની બે સેર મળીને કુલ રૂા.72 હજારના સોનાના દાગીનાઓની ચોરી કરી ગયેલ છે. ગુનો નોંધાવાતા પીએસઆઇ ધાંધલે તપાસ હાથ ધરી છે.
- text
- text